Gyan Sadhana Scholarship Yojana: જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gyan Sadhana Scholarship Yojana: ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના શરૂ કરી છે. આ યોજના વિદ્યાર્થીને કોઈપણ આર્થિક મુશ્કેલીની ચિંતા કર્યા વિના તેમનું શિક્ષણ ચાલુ રાખવામાં મદદ કરશે. આ યોજનામા વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12 સુધી દર વર્ષે સહાય સ્કોલરશીપ આપવામા આવે છે. આ યોજનાની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપેલી છે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024: ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ કે જેઓ ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરે છે તેઓ સ્કોલરશીપ માટે અરજી કરવા પાત્ર છે. ગુજરાત સરકાર વર્ષે આ સ્કોલરશીપ માટે વિદ્યાર્થીઓને રૂ 25,000/- ની સહાય આપે છે. આ સ્કોલરશીપ યોજના મા સ્કોલરશીપ માટે વિદ્યાર્થીઓની પરીક્ષા દ્વારા પસંદગી કરવામા આવશે.

Gyan Sadhana Scholarship Yojana: જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024

Gyan Sadhana Scholarship Yojana 2024: જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024

યોજનાનું નામજ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના
અમલીકરણ વિભાગ શિક્ષણ વિભાગ, ગુજરાત
કોને લાભ મળે ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને
સહાય ધોરણ 9 થી 10 મા વાર્ષિક રૂ.20000
ધોરણ 11 થી 12 મા વાર્ષિક રૂ.25000
અરજી નો પ્રકાર ઓનલાઇન
ફોર્મ ભરવાની તારીખો 29-01-2024 થી 09-02-2024
પરીક્ષા તારીખ 30-3-2024
સત્તાવાર વેબસાઇટ www.sebexam.org

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024 હેઠળ કેટલી સ્કોલરશીપ મળશે?

  • ધોરણ- 9 થી 10 ના વિદ્યાર્થીઓને વાર્ષિક રૂપિયા 20,000/- સ્કોલરશીપ મળશે.
  • ધોરણ- 11 થી 12 ના વિદ્યાર્થીઓને રૂપિયા 25,000/- સુધી સ્કોલરશીપ મળશે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાની પાત્રતા

  • સરકારી કે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામા ધોરણ 1 થી 8 સળંગ અભ્યાસ કરી ધોરણ 8 ઉતિર્ણ કરેલ હોય.
  • અથવા RTE ADMISSION યોજના હેઠળ સ્વનિર્ભર શાળામા ધોરણ 1 મા પ્રવેશ મેળવી ધોરણ 8 સુધી અભ્યાસ કરેલ હોય.

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાની પસંદગી પ્રક્રિયા

  • સૌપ્રથમ વિદ્યાર્થીઓએ આ સ્કોલરશીપ પરીક્ષા માટે ફોર્મ ભરવાનુ રહેશે.
  • ત્યારબાદ કસોટી દ્વારા મેરીટ ના આધારે પ્રોવિઝનલ સીલેકશન લીસ્ટ જાહેર કરવામા આવશે.
  • ત્યારબાદ જિલ્લા કક્ષાએ ડોકયુમેન્ટ ચકાસણી કરવામા આવે છે.
  • ત્યારબાદ ફાઇનલ મેરીટ લીસ્ટ અને સીલેકશન લીસ્ટ બહાર પાડવામા આવે છે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ: કસોટીનું માળખું

  • પરીક્ષામાં માત્ર બહુવિધ પસંદગીના પ્રશ્નો હશે
  • પરીક્ષા 120 ગુણની હશે અને તેનો સમયગાળો 150 મિનિટ રહેશે.
  • પરીક્ષા અંગ્રેજી અને ગુજરાતીમાં હશે.
  • વિદ્યાર્થી ગુજરાતી કે અંગ્રેજી જે માધ્યમ પસંદ કરે તે માધ્યમ મા પરીક્ષા આપી શકશે.
કસોટીનો પ્રકારપ્રશ્નોગુણ
MAT બૌધ્ધિક યોગ્યતા કસોટી4040
SAT બૌધ્ધિક યોગ્યતા કસોટી8080

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024 માટે અરજી કેવી રીતે કરવી? (Gyan Sadhana Scholarship Registration)

  • સૌપ્રથમ રાજય પરીક્ષા બોર્ડની સત્તવાર વેબસાઇટwww.sebexam.org પર જવાનુ રહેશે.
  • તેમા “Apply Online” વિકલ્પ પર ક્લિક કરો.
  • તેમા જ્ઞાન સાધના પ્રખરતા કસોટી પસંદ કરો.
  • ત્યારબાદ ઓપન થયેલા ફોર્મ મા વિદ્યાર્થીનો Adhar UDI નંબર નાખતા વિદ્યાર્થીની જરૂરી માહિતી આવી જશે.
  • ત્યારબાદ માંગવામા આવેલી અન્ય માહિતી સબમીટ કરો અને વિદ્યાર્થીનો ફોટો અને સહિ અપલોડ કરો.
  • છેલ્લે તમારુ ફોર્મ ચકાસી કંફર્મ કરો.
  • આ ફોર્મ ની પ્રિંટ કાઢી લો.

મહત્વપૂર્ણ તારીખ

  • ફોર્મ ભરવાની શરુવાતની તારીખ: 29-01-2024
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 09-02-2024

મહત્વપૂર્ણ લિંક

Gyan Sadhana Scholarship Notification PDF અહીં ક્લિક કરો
જ્ઞાન સાધના સ્કોલરશીપ ફોર્મ ભરવા માટેઅહીં ક્લિક કરો

3 thoughts on “Gyan Sadhana Scholarship Yojana: જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024”

Leave a Comment