Gyan Sadhana Scholarship Yojana: ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના શરૂ કરી છે. આ યોજના વિદ્યાર્થીને કોઈપણ આર્થિક મુશ્કેલીની ચિંતા કર્યા વિના તેમનું શિક્ષણ ચાલુ રાખવામાં મદદ કરશે. આ યોજનામા વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12 સુધી દર વર્ષે સહાય સ્કોલરશીપ આપવામા આવે છે. આ યોજનાની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપેલી છે.
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024: ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ કે જેઓ ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરે છે તેઓ સ્કોલરશીપ માટે અરજી કરવા પાત્ર છે. ગુજરાત સરકાર વર્ષે આ સ્કોલરશીપ માટે વિદ્યાર્થીઓને રૂ 25,000/- ની સહાય આપે છે. આ સ્કોલરશીપ યોજના મા સ્કોલરશીપ માટે વિદ્યાર્થીઓની પરીક્ષા દ્વારા પસંદગી કરવામા આવશે.
Gyan Sadhana Scholarship Yojana 2024: જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024
યોજનાનું નામ | જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના |
અમલીકરણ વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત |
કોને લાભ મળે | ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને |
સહાય | ધોરણ 9 થી 10 મા વાર્ષિક રૂ.20000 ધોરણ 11 થી 12 મા વાર્ષિક રૂ.25000 |
અરજી નો પ્રકાર | ઓનલાઇન |
ફોર્મ ભરવાની તારીખો | 29-01-2024 થી 09-02-2024 |
પરીક્ષા તારીખ | 30-3-2024 |
સત્તાવાર વેબસાઇટ | www.sebexam.org |
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024 હેઠળ કેટલી સ્કોલરશીપ મળશે?
- ધોરણ- 9 થી 10 ના વિદ્યાર્થીઓને વાર્ષિક રૂપિયા 20,000/- સ્કોલરશીપ મળશે.
- ધોરણ- 11 થી 12 ના વિદ્યાર્થીઓને રૂપિયા 25,000/- સુધી સ્કોલરશીપ મળશે.
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાની પાત્રતા
- સરકારી કે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામા ધોરણ 1 થી 8 સળંગ અભ્યાસ કરી ધોરણ 8 ઉતિર્ણ કરેલ હોય.
- અથવા RTE ADMISSION યોજના હેઠળ સ્વનિર્ભર શાળામા ધોરણ 1 મા પ્રવેશ મેળવી ધોરણ 8 સુધી અભ્યાસ કરેલ હોય.
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાની પસંદગી પ્રક્રિયા
- સૌપ્રથમ વિદ્યાર્થીઓએ આ સ્કોલરશીપ પરીક્ષા માટે ફોર્મ ભરવાનુ રહેશે.
- ત્યારબાદ કસોટી દ્વારા મેરીટ ના આધારે પ્રોવિઝનલ સીલેકશન લીસ્ટ જાહેર કરવામા આવશે.
- ત્યારબાદ જિલ્લા કક્ષાએ ડોકયુમેન્ટ ચકાસણી કરવામા આવે છે.
- ત્યારબાદ ફાઇનલ મેરીટ લીસ્ટ અને સીલેકશન લીસ્ટ બહાર પાડવામા આવે છે.
જ્ઞાન સાધના સ્કોલરશીપ: કસોટીનું માળખું
- પરીક્ષામાં માત્ર બહુવિધ પસંદગીના પ્રશ્નો હશે
- પરીક્ષા 120 ગુણની હશે અને તેનો સમયગાળો 150 મિનિટ રહેશે.
- પરીક્ષા અંગ્રેજી અને ગુજરાતીમાં હશે.
- વિદ્યાર્થી ગુજરાતી કે અંગ્રેજી જે માધ્યમ પસંદ કરે તે માધ્યમ મા પરીક્ષા આપી શકશે.
કસોટીનો પ્રકાર | પ્રશ્નો | ગુણ |
MAT બૌધ્ધિક યોગ્યતા કસોટી | 40 | 40 |
SAT બૌધ્ધિક યોગ્યતા કસોટી | 80 | 80 |
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024 માટે અરજી કેવી રીતે કરવી? (Gyan Sadhana Scholarship Registration)
- સૌપ્રથમ રાજય પરીક્ષા બોર્ડની સત્તવાર વેબસાઇટwww.sebexam.org પર જવાનુ રહેશે.
- તેમા “Apply Online” વિકલ્પ પર ક્લિક કરો.
- તેમા જ્ઞાન સાધના પ્રખરતા કસોટી પસંદ કરો.
- ત્યારબાદ ઓપન થયેલા ફોર્મ મા વિદ્યાર્થીનો Adhar UDI નંબર નાખતા વિદ્યાર્થીની જરૂરી માહિતી આવી જશે.
- ત્યારબાદ માંગવામા આવેલી અન્ય માહિતી સબમીટ કરો અને વિદ્યાર્થીનો ફોટો અને સહિ અપલોડ કરો.
- છેલ્લે તમારુ ફોર્મ ચકાસી કંફર્મ કરો.
- આ ફોર્મ ની પ્રિંટ કાઢી લો.
મહત્વપૂર્ણ તારીખ
- ફોર્મ ભરવાની શરુવાતની તારીખ: 29-01-2024
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 09-02-2024
મહત્વપૂર્ણ લિંક
Gyan Sadhana Scholarship Notification PDF | અહીં ક્લિક કરો |
જ્ઞાન સાધના સ્કોલરશીપ ફોર્મ ભરવા માટે | અહીં ક્લિક કરો |
Tx
Ajit
Good ,yojina